Showing posts with label Maa Shakti Maa. Show all posts
Showing posts with label Maa Shakti Maa. Show all posts

Maa Shakti Maa



ધાર્મિક માહાત્મ્ય: પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવને આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં ૨૩૦૦ ગામોને તોરણ બાધ્યાં હતાં. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતું અને દી’ ઊગતા પહેલાં છેલ્લું તોરણ દિગડિયા ગામે બાધ્યું હતું.
આમ તેઓ ૨૩૦૦ ગામના ધણી કહેવાયા. બિસંતીદેવી પ્રતાપસિંહ સોલંકીનાં કુંવરી હતાં. શક્તિમ માતાનું નાનપણનું નામ બિસંતીદેવી હતું. અને જ્યારે તેઓ હરપાળદેવને વર્યાં ત્યારે શરત રાખી હતી કે, પોતાનું અસલ દૈવીસ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે.